Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અમન માર્કેટ-૨ માં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ..!!

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ અમન માર્કેટ -૨ માં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, રેલવે ટ્રેકની બાજુ માં જ આવેલા ગોડાઉનમાં આગ અને તેના ધુમાડાના પગલે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોને પણ ધુમાડાની અસર થઈ હતી.

જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC અને નગરપાલિકાના ફાયર વિભાગને થતા ૫ થી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, તો બીજી તરફ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ અને GPCB ની ટિમોએ પણ સ્થળ પર પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતને જોડતી રેલવે લાઇનની નજીકમાં જ અંસાર માર્કેટ અને અમન માર્કેટ આવેલું છે. જ્યાં અવારનવાર આગ લાગવની ઘટનાઓ બનતી હોય રેલવે લાઇન પરથી પસાર થતી ટ્રેનો ઉપર પણ તેની અસર વર્તાતી હોય છે ત્યારે આ પ્રકારના ગોડાઉનો અંગે તંત્રએ ચોક્કસાઈથી તપાસ હાથધરી જો ગોડાઉનો ગેરકાયદેસર હોય તો તેઓની સામે પગલાં ભરવાની તૈયારીઓ કરવી જોઇએ તેમ જાગૃત નાગરિકોમાં આ ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ ના દહેજ નજીક ભૂખી ખાડી પાસે ટ્રાવેલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૭ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પૂજન અંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!