Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના ગડખોલ પાટિયા પાસે આવેલ ફ્લાય ઓવરબ્રિજ ખાતે ગત મોડી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, એસ.ટી બસ અને કાર વચ્ચે ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત તેમજ અન્ય ૪ થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વરના ગડખોલ નજીક એસ.ટી બસ નંબર જી.જે ૧૮ ઝેડ ૭૬૩૩ અને કાર નંબર જીજે ૧૯ એ.એ ૫૫૫૪ વચ્ચે અકસ્માતમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય ફરહાન ઉસ્તાદ નામના યુવાનનું તેમજ તેઓના ઝારખંડથી આવેલા સાથી મિત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું સાથે જ અન્ય ૪ થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, અકસ્માતની ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસે મામલા અંગેનો ગુનો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Advertisement

પટેલ હારુન


Share

Related posts

પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.

ProudOfGujarat

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને ચાર રસ્તા પર એકત્રિત થઈ શ્રદ્ધાંજલી અર્પિત કરી ચીનનાં પ્રધાનમંત્રીનું પૂતળું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!