Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : સારંગપુરના લાકડા માર્કેટમાં ભીષણ આગ લાગતાં લાખોનું નુકસાન.

Share

અંકલેશ્વર ખાતે આવેલ સારંગપુરના ૧૦ થી ૧૨ જેટલા લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકતા અફરાતરફરી મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાખો રૂપિયાના દરવાજા સહિતના લાકડા બળીને ખાખ થઇ ગયા હતા.

અંકલેશ્વરના સારંગપુર ખાતેના શાંતિનગર-૨ સ્થીત લાક્ડા માર્કેટના લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૧૦ થી ૧૨ જેટલા ગોડાઉનોને લપેટમાં લેતાં નાસભાગ મચી જવા પામી હતી. આગના પગલે ગોડાઉનોમાં રહેલ લાખોની મત્તાના દરવાજા શિત લાકડા આગની લપેટમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા અંકલેશ્વર, ઝઘડીયા સહિતના કુલ ૭ જેટલા ફાયર ટેન્ડરો દોડી આવ્યા હતા અને લાસ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

હાલ આગ કેવી રીતે લાગી તે કારણ અકબંધ રહ્યું છે. પણ સદનસીબે કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો છે.

Advertisement

Share

Related posts

નાયબ ચીટનીશની પરીક્ષામાં વિરમગામના વિજયકુમાર રાવલ અમદાવાદ જીલ્લામાં પ્રથમ ક્રમે ઉતિર્ણ…

ProudOfGujarat

જૂના ભરૂચ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર અંગેનાં બેનર લાગ્યાં…

ProudOfGujarat

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, બારડોલી જળબંબાકાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!