Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

Share

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંક્લેશ્વર તાલુકાના રવિદ્રા ગામની નવી નગરીમાં રહેતા ૩૨ વર્ષીય નરેશ કાંતિભાઈ વસાવા અને તેના બનેવી શૈલેશ રામદાસભાઈ વસાવા ગતરોજ સાંજના સમયે ગામમાં આવેલ મહાદેવ મંદિર પાસેના તળાવ નજીક મુકલે બાકડા પર બેઠા હતા તે દરમિયાન ગામના જ જાબીર ગુલામ પટેલ,મહમદ ગુલામ પટેલ અને સિકંદર પટેલ સહીત ચાર ઇસમોએ ભેગા મળી બાકડા પર બેસવા મુદ્દે જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયેલા ચારેય ઇસમોએ લાકડા અને ચપ્પુ વડે હુમલો કરી બંને આદિવાસી યુવાનોને ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશનાં ગોરખપુર જવા ટ્રેન રવાના 1280 પરપ્રાંતિયો વતન પહોંચશે.

ProudOfGujarat

નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ બટન કેમેરાથી સજ્જ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!