Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

Share

ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે અને આ ઉધોગોમાં અવારનવાર દુર્ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં અંકલેશ્વર જીઆઇડીસી ની અમલકેમ કંપની ખાતે ગેસ ગળતર થતા પાંચથી વધુ કામદારોને તેની અસર થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક જાણકારી મુજબ અમલકેમ કંપનીના SO2 ના સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જે બાદ કામદારોને તેની અસર પહોંચતા તમામને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે, હાલ સમગ્ર ઘટના અંગે કંપની સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જોકે મામલા અંગેની જાણ ફેકટરી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસને થતા મામલે તપાસ શરૂ કરી છે.

મહત્વની બાબત છે કે કંપનીમાં સર્જાયેલ ગેસ દુર્ઘટનાની ઘટના બાદથી કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ જગત જનની માં અંબાના મંદિરના શિખર પર 51 ગજની ધજા ફરકાવી.

ProudOfGujarat

નડિયાદ રીંગ રોડ પર દારૂ ભરેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત

ProudOfGujarat

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન દ્વારા દહેજ ખાતે કોવિડ હોસ્પિટલ ઊભી કરવા મુકેશ અંબાણીને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!