Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જી.ઈ.બી. ની બેદરકારી સામે આવી : વીજપોલ ખુલ્લા હોવાથી ઘોડાને કરંટ લાગતા મોત નીપજ્યું.

Share

કમોસમી વરસાદને પગલે પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવી છે. અંકલેશ્વરની સર્વોદય ચોકડી પાસે ઘોડાને કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેની સાથે ઘોડાના માલિકે મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આજરોજ અંકલેશ્વર સર્વોદય નગરની સામે ફતેનગરની પાસે મેઈન રોડ પર વીજ પુરવઠાની બેદરકારી સામે આવી છે. વીજ ડીપી ખુલ્લી મુકાતા તબેલા પરથી ચરવા આવેલા ઘોડાને કરંટ લાગતા ઘટનાસ્થળે ઘોડાનું મૃત્યુ થયું હતું. તે સાથે એક બિલાડીને પણ કરંટ લાગતા બિલાડીનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘોડાના માલિકે તેમના 2 લાખ રૂપિયાના ઘોડાનું મૃત્યુ થવાથી નુકસાન વળતરની માંગણી કરી છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે જાનવરને કરંટ લાગ્યો છે કોઈ બાળકને કરંટ લાગે અને બાળકનું મૃત્યુ થાય તો એની જવાબદારી કોની જેથી સ્થાનિક લોકોમાં વીજ પુરવઠાને લઈ રોષ જોવા મળી રહ્યો છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ખેડા : માતરના ગરમાળા ગામની સીમના ખેતરોમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

એઈમ્સને જોડતા ફોરલેન સિક્સલેન રોડને મળી મંજૂરી : 1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ બનશે.

ProudOfGujarat

ભરૂચ માહિતી કચેરી ખાતે પત્રકારો માટે પ્રિકોશન ડોઝ આપવા વેક્સીનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!