Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સંવિધાન દિવસ નિમિત્તે લાઇટિંગથી શણગારવામાં આવી.

Share

દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને 1947 માં આઝાદી મળ્યા બાદ ડો.બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિમાં 1081 દિવસના પરિશ્રમ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને તૈયાર કરવા માટે તે સમયે 6.24 કરોડનો ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી 1949 ના 26 મી નવેમ્બરના રોજ કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણવામાં આવે છે. ત્યારે ગતકાલે સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાઇટિંગથી શણગારવામાં આવી હતી. વિવિધ લાઇટિંગથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શણગારવામાં આવતા તે લોકો માટે આકર્ષિત કેન્દ્ર બન્યું છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ સહીતનાં ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઉપરાંત ચોરીના મોબાઈલ વેચવામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી લીધા હતા.

ProudOfGujarat

ભરૂચ-વડદલા નજીક નેશનલ હાઇવે પર બે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત-6 થી વધુ લોકો ઘાયલ..

ProudOfGujarat

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!