Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સંવિધાન દિવસ નિમિત્તે લાઇટિંગથી શણગારવામાં આવી.

Share

દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને 1947 માં આઝાદી મળ્યા બાદ ડો.બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિમાં 1081 દિવસના પરિશ્રમ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને તૈયાર કરવા માટે તે સમયે 6.24 કરોડનો ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી 1949 ના 26 મી નવેમ્બરના રોજ કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણવામાં આવે છે. ત્યારે ગતકાલે સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાઇટિંગથી શણગારવામાં આવી હતી. વિવિધ લાઇટિંગથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શણગારવામાં આવતા તે લોકો માટે આકર્ષિત કેન્દ્ર બન્યું છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

પી.આઇ વર્ગ-૨ ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં વિદ્યાર્થીઓ ચમકયા.

ProudOfGujarat

બજાજ ફાયનાન્સ લિમિટેડના નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ  છે. ત્યારે વહિવટી તંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!