Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ખરોડ ચોકડી નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત, ટ્રક નાસ્તાના સ્ટોલમાં ઘુસી જતા દોડધામ.

Share

અંકલેશ્વર ને.હા ૪૮ પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, દીવસ રાત અકસ્માતોની બનતી એક બાદ એક ઘટનાઓમાં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક સારવાર લેવા માટે હોસ્પિટલ સુધી પહોંચ્યા છે, જેમાં વધુ એક ઘટના આજે સવારે સામે આવી હતી.

અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, અકસ્માત બાદ ટ્રક અને કાર સહિત અન્ય એક વાહન નજીકના ચા-નાસ્તાના સ્ટોલમાં ઘુસી જતા ઉપસ્થિત લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, અકસ્માતની ઘટનામાં ૨ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે.

હાઇવે ઉપર સર્જાયેલ અકસ્માતની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે થતા પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ સ્ટોલમાં ઘુસેલ વાહનોને બાહર કાઢવાની તજવીજ હાથધરી હતી, તેમજ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ઝઘડીયા : ઇ.વી.એમ મશીનોમાં ગરબડનાં આક્ષેપ સાથે બીટીપી એ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકમાં કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ હતી.

ProudOfGujarat

નડિયાદ : ડાકોર કપડવંજ રોડ પર બસ પલ્ટી ખાઇ જતાં ૪ લોકોને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!