Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે.

Share

અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આવતી કાલે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે. લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો પવિત્ર દિવસ.

દિવાળીના તહેવારના પાંચ દિવસ અંકલેશ્વરના વેપારીઓ અને ધંધાદારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યાં હતા. આવતીકાલે લાભ પાંચમે પાંચ દિવસ બાદ ફરી વેપાર-ધંધા અને દુકાનો ધમધમતી થઈ જશે. પાંચ દિવસથી સૂમસામ લાગતા બજારો અને રોડ તેમજ અન્ય વિસ્તારોમાં ફરી જનજીવન ધબકતું થઈ જશે. લોકો નવા વર્ષમાં તેમના વેપાર કે ધંધા-રોજગાર સારી રીતે ધમધમતા થાય તેવી અપેક્ષા સાથે શુભ મુર્હુતમાં પોતાની દુકાનો કે ધંધા-રોજગારના સ્થાનોને શરૂ કરશે. લાભ પાંચમના દિવસે વેપાર કે ધંધા-રોજગાર શરૂ કરવાથી સમગ્ર વર્ષમાં સારો લાભ મળે છે તેવી માન્યતા છે. વિવિધ માર્કેટયાર્ડ, એપીએમસી તેમજ અન્ય સ્થાનિક બજારોમાં સારા મુર્હૂતમાં પોતાના વેપાર-ધંધા શરૂ કરાશે. નવી દુકાનો તેમજ અન્ય નવા ધંધાનો આરંભ પણ થશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

૧૧ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારને મૃત્યપર્યંત આજીવન કેદની સજા ફટકારતી ભરૂચ પોક્સો અદાલત…

ProudOfGujarat

વિશ્વની સૌથી વિશાળ સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ

ProudOfGujarat

વડોદરા : નવલખી ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં કોર્પોરેશન દ્વારા વિસર્જન કરેલી મૂર્તિઓ કાઢીને ખાડામાં નાંખતા કરાયો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!