Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વરેડિયા નજીક કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

Share

દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા શેખ પરિવારની કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો.

આ બનાવ અંગે હજી પોલીસ ફરિયાદ નોંધી રહી છે પરંતું મળતી આધારભુત માહિતી મુજબ અંકલેશ્વરના શેખ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા હતાં જે પરત આવી રહ્યા હતાં ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લીધી હતી. જોકે અજાણ્યા વાહનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં શેખ પરિવારના ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંબાજી-મંદીર પાસે પાર્ક કરેલ ગાડી માંથી દિવસ દરમિયાન કરાઈ ચોરી

ProudOfGujarat

ભરૂચ કલરવ શાળાના સ્લો લર્નર સોહેલ પટેલ હેન્ડ બોલ રમતમાં છે તેજ, મેળવી છે અનેક સિદ્ધીઓ

ProudOfGujarat

ઇફકો ની ચૂંટણીમાં પક્ષ વિરોધી રાદડિયા નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડતા સી આર પાટીલ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!