Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અનાથ આશ્રમ ખાતે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ આપવામાં આવી.

Share

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અને પ્રોફેશનલ સર્વિસ દ્વારા દીપાવલી પર્વના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્ર અને શિશુ ગૃહો ખાતે બાળકો અને સ્ટાફ માટે મીઠાઈનું વિતરણ કરાયું હતુ.

સનાતન ગ્રુપ દર વર્ષે આવા અનેકો સેવાભાવી કાર કરતા હોય છે જેના ભાગરૂપે આજે પણ સનાતન ગ્રુપ દ્વારા મીઠાઈ વિતરણના આયોજન કરવામાં આવ્યા હતાં અને સંસ્થાનાં સ્ટાફ મેમ્બરોને એમની સારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિશુ ગૃહના અલ્કેશભાઇ અને નારી સંરક્ષણ કેન્દ્રના ભૂમિકાબેન અને સનાતન ગ્રુપના એસ કે મિશ્રા રાકેશ યાદવ, અમિત યાદવ, વિશ્વજીત યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૫ મીએ દિવ્ય સાકર વર્ષા યોજાશે.

ProudOfGujarat

વડોદરાના તૃષા હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે માત્ર ૭ દિવસમાં જ ૩૦૦ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી.

ProudOfGujarat

ગુજરાત રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજય વ્યાપી અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!