Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની કુસુમબેન કડકીયા કોલેજ હવેથી શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં નામથી ઓળખાશે.

Share

અંકલેશ્વરની શ્રીમતિ કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ટ્રસ્ટે છેલ્લા બે વર્ષથી બંધ કરવા માટેની અરજી આપી હતી. કોલેજને બંધ કરવાની જાણ રાજયકક્ષાના મંત્રી તથા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ થતાં અંકલેશ્વર-હાંસોટ તથા આજુબાજુનાના ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુ સાથે શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ટ્રસ્ટને અન્ય ટ્રસ્ટને સોંપણી કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. આ વાતનો શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો હતો અને તાજેતરમાં શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ટ્રસ્ટે કોલેજની તમામ કામગીરી શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ, કુડાદરા તા.હાંસોટને સોંપવામાં આવેલ છે. બંને ટ્રસ્ટની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ મણિલાલ ટ્રસ્ટે શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટને કોલેજ સોંપી દીધી છે.

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વહીવટી કામગીરી અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ સ્ટેશન રોડ અંકલેશ્વર ખાતે કાર્યરત રાખવામા આવેલ છે અને કોલેજનો સમય સવારે 7:30 થી 11:30 નો રહેશે જેની સર્વે વિદ્યાર્થીઓ વાલીઓએ નોંધ લેવા કોલેજની એક યાદીમાં જણાવાયું છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ : ગુજરાતની પેટાચુંટણીની તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

મનુષ્યના સ્વાસ્થ્યમાં વનસ્પતિઓના પ્રભાવ વિશેની જાણકારીથી પ્રવાસીઓને અત્યંત પ્રભાવિત કરતું કેવડીયાનું “આરોગ્ય વન”.

ProudOfGujarat

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ: પણ માનવ મહેરામણ છલકાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!