Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો.

Share

ભરૂચ નેશનલ હાઇવે ટ્રાફિકજામની સ્થિતિને પગલે પ્રખ્યાત છે. પહેલાં બિસ્માર સરદાર બ્રિજને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું જે બાદ કરોડાના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવ્યા બાદ આંશિક રીતે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો થયો હતો. હાલ ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે હાઇવે બિસ્માર થતાં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાથી ફરી ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દિવાળી તહેવારને લઈ હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું છે જેને પગલે હાલ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

અંકલેશ્વર પાસે ભરૂચ-સુરત ટ્રેક પર આજરોજ ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકોએ કલાકો સુધી ભારે ટ્રાફિકજામ ફસાઈ જવાને કારણે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની શ્રી રામ ડાયકેમ કંપનીમાં ગરમ પાણીથી દાઝી જતા કામદારને સારવાર અર્થે ખસેડાયો હતો

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ વિસ્તાર માંથી ૪ લાખ ઉપરાંત ની ચીલઝડપ કરનાર પોલીસ ના સકંજામાં જાણો વધુ….!!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં આમોદ પોલીસ મથકની હદમાં દેશની સુરક્ષા કાજે તત્પર અને રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતાં પોલીસ કર્મચારીનાં ઘરે લક્ષ્મી સમાન દીકરીનો જન્મ થતાં ખુશીનો માહોલ છવાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!