Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાનોલી GIDC હાઈકલ કંપનીમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

Share

અંકલેશ્વર અને ભરૂચમાં દિવસેને દિવસે આપધાતના કિસ્સાઓ ઘણા વધી રહ્યા છે. કોઈક અંગત કારણોસર ક્યાં તો જીવનથી નાસીપાસ થઇ અને લોકો મોતને વ્હાલુ કરે છે. ત્યારે અંકલેશ્વરના ઉમરવાડાના એક યુવકે પોતાના જ પરિવારથી કંટાળી જઈ અને કંપનીમાં પહોચ્યા બાદ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો.

બનાવ અંગે મળતી વિગતવાર માહિતી અનુસાર, યુવક નીતેશભાઈ ચંદુભાઈ વસાવા રહે, ઉમરવાડા નૂરનગર તા. અંકલેશ્વર નાઓનો પોતાની પત્ની સાથે અણબનાવ રહેતો હતો રોજ જ કોઈ અંગત કારણોસર ઝધડા થતા હતા જેથી કંટાળીને વનીતાબેન છેલ્લા ત્રણ વર્ષથી તેઓના બાળકોને લઈને તેઓના પિયરમાં જતા રહ્યા હતા જેથી નિતેશભાઈ ટેન્શનમાં જ રહેતા હતા જે વાત મનમાં ઠસી જતા આખરે તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને પાનોલી GIDC હાઈકલ કંપનીમાં કામ અર્થે આવી અને ગળેફાંસો ખાધો હતો અને જીવન ટુકાવ્યું હતું જે વાતની જાણ પોલીસને થતા જી.આઈ.ડી.સી. પોલીસનો કાફલો કંપની પર આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

નેત્રંગની બેંકોમાં જનધન યોજનાનાં રૂ.500 મેળવવા લોકોની લાઈનો લાગી.

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત બોરભાઠા નજીક આવેલ ખોડિયાર મંદિરે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ઓનલાઈન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!