Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લિમ્બચીયા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે હવન કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ વિશ્વકર્મા સમાજ વાડીમાં લિમ્બચીયા સમાજ દ્વારા કોરોના કાળમાં જે મુત્યુ પામ્યા તેમને સાચી શ્રદ્ધાંજલિ મળે એ નિમિતે લિંબચ માતાનું હવન કરવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને વોર્ડ નંબર 2 ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા હતા ત્યારે તેઓને શ્રધ્ધાંજલિ મળે તે માટે લિમ્બચીયા સમાજ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેઓના કુળદેવી લીંબચ માતાનું નવરાત્રીની આઠમ હોય અને આજનો દિવસ શુભ ગણીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને સમાજના લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો અને સરાહનીય કામગીરીમાં સાથ આપ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat

મોરબીમાં દુકાન પાસે સામાન નહિ રાખવા બાબતે બે જૂથ બાખડ્યા, સામસામી ફરિયાદ

ProudOfGujarat

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે આવેલી ખાડીમાં મગર દેખાતાં લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!