Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લિમ્બચીયા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે હવન કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ વિશ્વકર્મા સમાજ વાડીમાં લિમ્બચીયા સમાજ દ્વારા કોરોના કાળમાં જે મુત્યુ પામ્યા તેમને સાચી શ્રદ્ધાંજલિ મળે એ નિમિતે લિંબચ માતાનું હવન કરવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને વોર્ડ નંબર 2 ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા હતા ત્યારે તેઓને શ્રધ્ધાંજલિ મળે તે માટે લિમ્બચીયા સમાજ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેઓના કુળદેવી લીંબચ માતાનું નવરાત્રીની આઠમ હોય અને આજનો દિવસ શુભ ગણીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને સમાજના લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો અને સરાહનીય કામગીરીમાં સાથ આપ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અમદાવાદ: ન્યુ રાણીપમા પાંચ દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત…

ProudOfGujarat

પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે ઝઘડીયાના જૈન સમાજ દ્વારા તપશ્ચર્યા અને આરાધના.

ProudOfGujarat

અભિનેત્રી કશિકા કપૂરે સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની શરૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!