Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાર્થ પવારના પરિવારજનોને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા અંકલેશ્વર પોલીસે અટકાવ્યા.

Share

SMA-1 નામક બીમારીથી પીડાતા પાર્થ પવારના પરિવારજનોને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા અટકાવવામાં આવ્યા હતા. ભરૂચમાં લોકાર્પણ કાર્યક્રમમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપવા માટે આવ્યા હતા. પાર્થ પવારના પરિવારજનો મુખ્યમંત્રી પાસે સહાય માટે રજૂઆત કરવા માટે જવાના હતા.

જુગલ પવારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીને મળવા પહોંચે તે પહેલાં જ તેમની તંત્ર દ્વારા મુલાકાત કરતા અટકાવી મુખ્યમંત્રીના ગયા સુધી કાર્યક્રમથી દુર બેસાડી રાખવામાં આવ્યા હતા. પ્રોટોકોલને લઈને તેમને મુખ્યમંત્રી સાથે મળતા અટકાવવામાં આવ્યા, તેઓના જણાવ્યા અનુસાર તેઓ ફકત તેઓના બાળક માટે સહાયની આશા સાથે ગયા હતા.

Advertisement

પાર્થ પવારની હાલત અર્થે થોડી ઘણી સહાય થઈ શકે તે માટે જુગલ પવાર નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે મદદ માટે જઈ રહ્યા હતા પરંતુ અંકલેશ્વર પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે અટકાયત અંગે જુગલ પવારે તંત્રને પૂછતાં અનેક બહાનાઓ કરીને દૂર બેસાડી રાખવામા આવ્યા જતાં અને કહેવામા આવ્યું હતું કે કોરોના પ્રોટોકોલને કારણે કોઈ પણ વ્યક્તિ નવા સી.એમને ન મળી શકે. જે ઘણી નિંદનીય બાબત છે. જો કોરોના જ કારણ હોય તો ભુપેન્દ્ર પટેલે સમગ્ર કાર્યક્રમ દરમિયાન માસ્ક વગર ફર્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

ProudOfGujarat

રાજપીપલા: સુંદરપુરા ગામ નજીક મોટરસાઇકલ ચાલકનું મોત

ProudOfGujarat

ભરૂચ કસક ગળનાળામાં લકઝરી બસ પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો, ભારે જહેમત બાદ માર્ગ ખુલ્લો થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!