Proud of Gujarat
FeaturedGujaratINDIA

આરોપીઓની ધરપકડ કરવા અંકલેશ્વરની મહિલાઓએ રેલી કાઢી..જાણો વધુ

Share

અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને માર મારવાના મામલામાં મહિલાઓએ રેલી યોજી આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી
અંકલેશ્વરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા શ્રીકાંત રામઅજોર યાદવ અને તેઓના મિત્ર અમરનાથ પાંડે ગત તારીખ-૧૧મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અવધૂત નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુર્યા ભરવાડ અને અન્ય પાંચ ઈસમોએ અમરનાથ પાંડે સાથે ઝઘડો કરી તેને ઢીકા પાટુનો મારમાર્યો હતો જે બાદ બીજા દિવસે કુંદન દુબેને માર માર્યા બાદ શ્રીકાંત રામઅજોર યાદવની સોસાયટીમાં મારક હથિયારો સાથે ઘુસી આવી તેને મારી નાખવાની ધમકી આપી હતી જયારે ઈજાગ્રત એમ્બ્યુલન્સ લઈ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો જે બાદ રવિવારે સોસાયટીની મહિલાઓએ એકત્રિત થઈ ચાંડાલ ચોકડીથી રેલી યોજી પોલીસને રજુઆત કરવા જતી હતી તે દરમિયાન કોઈપણ જાતની મંજૂરી વિનાની રેલીને પોલીસે અટકાવી મહિલાઓને પરત મોકલી આપી હતી ત્યારે મહિલાઓએ માથાભારે તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી શાળામાં નાયિકા દેવી ફિલ્મની યુવા અભિનેત્રી ખુશી શાહ સાથે પરસ્પર સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું માંગરોલ વિધાનસભામાં ઝંખવાવ ખાતે આદિવાસી પરંપરાગત રૂઢિ મુજબ ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

સુરતમાં આગની ધટનાઓ બનવાથી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વગરની દુકાનો અને ઓફિસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!