Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ફરી એકવાર મહાવીર ટર્નિગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

Share

અંકલેશ્વર પંથકમાં ટ્રાફિક જામના દ્રશ્યો ફરી એકવાર સર્જાયા હતા. નવા નિર્માણ પામેલા બ્રીજથી પ્રતીન ચોકડી સુઘી ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિક જામની સમસ્યાથી દૂર રહેવા માટે બ્રિજોનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ અહિયાં તો બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિક જામ થવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

અંકલેશ્વર પંથકમાં નવા નિર્માણ પામેલા બ્રીજથી પ્રતીન ચોકડી સુઘી ટ્રાફિક સર્જાવાનું મુખ્ય કારણ ગેરકાયદેસર દબાણોના હોવાનું લોક ચર્ચાઓ થઇ રહી છે. જેથી લોકો પોતાનું ગુજરાન ચલાવા માટે બેફામ રીતે આસપાસ લારી ગલ્લા અને નાનાં-નાનાં કેબીનો બનાવતાં આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં હોવાના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ ટ્રાફિકમાં ખાનગી એમ્બ્યુલન્સ પણ ફસાય ગઈ હતી જેથી જાગૃત નાગરિકો દ્વારા ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી જે અંગે તંત્રે સજાગ થવું જોઈએ અને આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ અને યોગ્ય કામગીરી હાથ ધરવી જોઈએ તેવી પ્રજાજનોની માંગ ઉઠી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે શાળા કક્ષાએ પ્રિફેક્ટોરલ બોર્ડ વિભાગમાં વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ.

ProudOfGujarat

નેત્રંગ : બલદવા ડેમ ઉપર ઘટાદાર વૃક્ષોથી ડેમની મજબુતાઇને ભારે નુકસાન થવાથી તાત્કાલિક ધોરણે વૃક્ષોનું નિકંદનની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા બ્રાંચ દ્વારા જશને ગરીબ નવાઝ જશને મોહદ્દીશે આઝમે હિન્દની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!