Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : મીરા માધવ સોસાયટીથી ESIC હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ બનાવવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ.

Share

આજરોજ ગાર્ડનસિટી અને આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા જી.આઈ.ડી.સી ખાતે મીરા માધવ સોસાયટીથી ESIC હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ બનાવવા માટે નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તેમજ મામલતદરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ વિસ્તારના રસ્તાઓ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે જેનું છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી તેના માટે હવે માર્ગ બનાવી આપવા સ્થાનિકોની માંગ ઉઠી છે. આ રોડનું નવીકરણ થવું જોઈએ, દર વર્ષે સ્થાનિકો દ્વારા રસ્તા અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. ત્યાંથી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ પસાર થાય છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને પણ ઘણું નુકશાન પહોચી રહ્યું છે.

લોકોના વાહનોને પણ નુકશાન પહોચી રહ્યું છે અને ચોમાસા જેવી ઋતુમાં અવરજવર કરનારાઓને ઘણી હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. રજૂઆત કરવા છતાં કપચી પાથરીને રસ્તાઓને વધારે બિસ્માર હાલતમાં કરી દેવતા હોય જેથી આખરે સ્થાનિકો આક્રોશમાં આવીને રજૂઆત કરવા મામલતદાર કચેરીએ આવી પહોચ્યા હતા અને વહેલીતકે કામગીરી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મુકેશ વસાવા, અંકલેશ્વર

Advertisement

Share

Related posts

શ્રી મારૂતિ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ડી.એસ.પી ને આભારપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં માલજીપુરા નજીક બાઇક સવાર ઇસમનું કારની અડફેટે મોત.

ProudOfGujarat

નડિયાદમાં શ્વાન રસ્તા વચ્ચે આવતાં મોપેડ ચાલક જમીન પર પટકાતા મોત નિપજયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!