Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ૨૦૦ વર્ષથી પરંપરા યથાવત : રાધાષ્ટમીની રંગેચંગે ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાયતી બજાર ફિર રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે પણ રાધાષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ સામાજિક અંતર જાળવી શોભાયાત્રા કમાલીબાવાના મંદિરે ગઈ હતી અને ત્યાં પરંપરાગત રીતે પાદુકા પૂજનનું આયોજન કરાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ અને એમને પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે. રાધાકૃષ્ણના નિર્મળ પ્રેમ અને સાખ્યભાવનો અતુટ સંબંધ શ્રધ્ધાળુઓ માટે એક આરાધના બની રહ્યો છે. ત્યારે વૃંદાવનમાં તો રાધાષ્ટમીની ઉજવણીનો રંગ કંઇક અલગ જ હોય છે. વૃંદાવનની રાધાષ્ટમીની ઉજવણીની પરંપરા અંકલેશ્વરમાં પણ પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદિર દ્વારા ૨૦૦ થી પણ વધુ વર્ષોથી કરવામાં આવે છે.

અંકલેશ્વરના પંચાયટી બજાર સ્થીત રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમી ઉજવણી નિમિત્તે સાતમના રોજ તેમના પરંપરાગત કમાલી બાવાની મંદિરે જઈને મંદિરના મહંત મનોજલાલજી ગોસ્વામી તથા ગોસ્વામી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં કરવામાં આવ્યું હતું.

સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત સામાજિક અંતર જાળવીને ભક્તો દ્વારા ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી. વહેલી સવારે કકડેઠઠ ભક્તિની હાજરીમાં રાધા જન્મોત્સ્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી જયાં ભાવિકો દર્શનનો લાભ લઈ કૃતાર્થ થયા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા જેલની દક્ષિણમાં આવેલ વિવાદિત જમીનમાં જેલ વિભાગે જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા ફરી વિવાદ વકર્યો.

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI એ વિરોધ પ્રદર્શન કરી એડમીશન પ્રક્રિયા અને સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી કરવા માંગ કરી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લાના લાપતા થયેલ યુવકનો નર્મદાના કિનારે તણાઇને આવેલ મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!