Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : માટીએડ ગામના રહીશ પર નજીવી બાબતે ભાજપા કાર્યકર્તાઓનો વાર..!

Share

અંકલેશ્વર પંથકમાં આવેલ માટીએડ ગામના રહીશ નામે આહીર મિહિરભાઈ મહેશભાઈ નાઓ ભેંસ ચરાવવા ગામની સીમમાં ગયા હોય ત્યારે કહેવાતા ભાજપા આગેવાન નામે દિવ્યેશ રમેશચંદ્ર પટેલ રહે, માટીએડ સહિત 4 ઈસમો દ્વારા વ્યક્તિગત દુશ્મનીના આધારે હોક્કી, લાકડી તેમજ અન્ય હથિયારો વડે આહીર મિહિર મહેશભાઈને મારમારી બંને હાથ તોડી તેમજ પગના ભાગમાં પણ ઈજા પહોંચાડી હતી અને તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. કહેવાતા નેતાઓના પીઠબળ દ્વારા દિવ્યેશ પટેલ દ્વારા અવનવાર આ રીતે સત્તાનો દૂરઉપયોગ કરવામાં આવે જ છે અને જાહેરમાં ગુંડાગીરી ભર્યું વર્તન અવારનવાર કરતા જ આવ્યા છે. હાલ આહીર મિહિર મહેશભાઈને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે. જે અંગે આહીર મિહિરભાઈ મહેશભાઈએ ચારેય ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો અને ચારેય ઇસમોને સજા ફટકારવાનું જણાવવામાં આવ્યું હતું.

ભાજપા આગેવાનો :-

Advertisement

(1) દિવ્યેશભાઇ રમેશભાઈ પટેલ રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ
(2) લાલભાઈ ગજેન્દ્રસિંહ ડોડીયા રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ
(3) ગજેન્દ્રસિંહ ડોડીયા રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ
(4) જ્યોતિષભાઇ બ્રહ્મણ રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતાં જિલ્લામાં કુલ 73 જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા છે ત્યારે ગઈકાલે એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક પાંચ ઉપર પહોંચી ગયો છે.

ProudOfGujarat

સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

ProudOfGujarat

સુરતના કામરેજ તાલુકા ખાતે તાપી નદીમાં ચાલી રહેલા રેતી ખનન પર ભૂસ્તર વિભાગે કરી રેડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!