Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રત્નેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે દિવ્ય શણગારના દર્શનાર્થે લોકો ઉમટી પડયા.

Share

અતિ પવિત્ર એવો શ્રાવણ માસ પૂર્ણ થયો છે ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ ખાતે શિવલિંગનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના પ્રાચીન મંદિરો પૈકીના એક એવા રત્નેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવાર તેમજ શ્રાવણ માસ પૂર્ણ થયો હોવા નિમિત્તે ભગવાન શિવના દિવ્ય શણગારનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું જેના દર્શન માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી લઇને મોડી સાંજ સુધી શિવભક્તો ઉમટી પડ્યા હતા અને શિવની આરાધના તેમજ ભક્તિ કરી હતી. ભક્તોએ શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ આરાધના પૂજા અર્ચના તેમજ ભક્તિ કરીને મહાદેવના અદભૂત શણગારને જોઈને બિલીપત્રો ચઢાવી તેમજ દૂધથી શિવલિંગને સ્નાન કરાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

શુક્રવારનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને આજે સાંભળવું , આજે જીવનમાં થઈ જશે આ મોટા ફેરફાર.

ProudOfGujarat

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાખા ખાતેની વાલક ખાડીમાં કાર ખાબકતાં કાર ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલી પરિવર્તન પરિવારની ભવ્ય રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!