Proud of Gujarat
GujaratINDIA

અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીઝનું એફલુએન્ટ પાણીનો નિકાલ 24 કલાક માટે કરાયો બંધ.

Share

અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીઝનું એફલુએન્ટ પાણીનો નિકાલ કરવા 24 ક્લાક માટે પાણી બંધ થવાથી ત્રણેય ઉદ્યોગમંડળના ઉદ્યોગકારોને મોટાપાયે નુકશાન થઈ રહ્યું હોવાનું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જતિન ગાંધીએ જણાવ્યુ હતું.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે NCTL એ જ્યાં ઇન્ડસ્ટ્રીઝનું વેસ્ટ એફલુએન્ટ જાય છે તેને ડિસ્ચાર્જ રૂપે 24 ક્લાક માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેનું મુખ્ય કારણ છેલ્લા અઠવાડિયાથી ચોમાસાના કારણે થોડા પાણીની આવક વધારે થાય જેથી કરીને ત્યાંના ગાર્ડ પણ ભરાઈ ગયા છે, જેથી NCTL પાસે કોઈ ખાલી જગ્યાઓ નથી જેને કારણે બધા પાણીનો યોગ્ય નિકાલ કરી સાફ કરી અને તેને સંપૂર્ણપણે ચોખ્ખું કર્યા બાદ તેને દરીયામાં છોડવામાં આવશે. જેમાં સંપૂર્ણ કામગીરીમાં એક દિવસનો સમય લાગતો હોવાથી ગાર્ડને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

જે અંતર્ગત આજરોજ બપોર 2 વાગ્યાથી આવતીકાલના બપોર 2 વાગ્યા સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂરી કરી દેવામાં આવશે. આ પ્રક્રિયા ચોમાસામાં અવારનવાર કરવી પડતી હોય છે. જેને પગલે 24 ક્લાક સુધી પાણી બંધ થવાથી અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાનાં ઉદ્યોગ મંડળના ઉદ્યોગકારોને મોટાપાયે નુકશાન થવાની સંભાવનાઓ રહેતી હોય છે.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટર અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરીમલસિંહ રણા અને અન્ય લોકોએ આ ઘટના વખોડી.

ProudOfGujarat

ભરૂચ માંડવા ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ કપાટ શરૂ થતા કોંગ્રેસમાં આગેવાનોનો હલ્લો, 10 દિવસનું અપાયું અલ્ટીમેટમ

ProudOfGujarat

અંકલેશ્વર GIDC વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડ સાથે અપહરણ અને અન્ય ગુનાઓની સિલસિલાબંધ ચોંકાવનારી વિગતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!