Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષીય કિશોરીનું એક ઇસમ દ્વારા અપહરણ કરાયું હોવાની શંકા

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી એક સાડા બાર વર્ષીય કિશોરી ઘરેથી ગુમ થતાં એક યુવક દ્વારા તેનું અપહરણ કરાયું હોવાની શંકા સાથે કિશોરીના પિતાએ પોલીસ ફરિયાદ લખાવી હતી.

આ અંગે મળતી વિગતો અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી આ કિશોરીને ગતરોજ તા.૧૩ મીના રોજ સવારના સાડા દસ વાગ્યાના અરસામાં તેની માતાએ રસોઇ બનાવવાનું કહ્યું હતું, અને ત્યારબાદ કિશોરીની માતા બહાર ગઇ હતી. તેની માતા જ્યારે થોડીવારમાં ઘરે પાછી ફરી ત્યારે તેમની દિકરી ઘરે જણાઇ નહતી, જેથી તેમણે તેમના પતિને કોલ કરીને આ જણાવ્યું હતું. ત્યારબાદ ગુમ થયેલ કિશોરીને શોધવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી. આ ઘટનાના ત્રણેક મહિના અગાઉ આ કિશોરીને એક યુવક સાથે મોબાઇલ પર વાત કરતા તેના પિતાએ પકડી પાડી હતી અને તે સમયે પિતાએ તેમની દિકરીને ઠપકો પણ આપ્યો હતો અને કિશોરીને પુછતા તેણે આ મોબાઇલ તે યુવકે વાત કરવા આપ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે હાલ આ કિશોરી ઘરમાંથી ગુમ થતાં સદર યુવક તેણીને ભગાડીને લઇ ગયો હોવાની શંકા જતાં કિશોરીના પિતાએ સદર યુવક સુરમલ પપ્પુ પરમાર પર શક દર્શાવીને તેના વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં વધતા જતા ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને હોટલ હયાત પ્લેસને પર્યટન મંત્રાલય દ્વારા ફાઇવસ્ટાર કેટેગરી માં સમાવેશ કરાયો

ProudOfGujarat

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસીની કંપનીમાંથી બેટન લોખંડની ચેનલ અને બીમ ચોરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!