Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબલ ટેકનોલોજી આધરિત પ્રોગ્રામનુ અનાવરણ કરાયું

Share

તા. ૩૧/૮/૨૦૨૩ ના રોજ યુનાઇટેડ નેશન ગ્લોબલ ઇમ્પેક્ટ નેટવર્ક ઓફ ઇન્ડીયાના એકઝીક્યુટીવ ડીરેક્ટર રત્નેશ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એન્વાયરોમેન્ટલ ક્મ્પલાઇયન્સ અને સસ્ટેનેબીલીટી પ્રોગ્રામનુ અનાવરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રોગ્રામ ઉદ્યોગોમા કામ કરતા કર્મચારીઓ કે જે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબીલીટીનુ ધ્યાન રાખતા હોય છે તેઓ માટે ખાસ કરીને તૈયાર કરવામા આવેલ છે.

આ શુભ પ્રસંગે મ્રુત્યુન્જય ચોબે – ઉપપ્રમુખ (એન્વાયરોમેન્ટ અને સસ્ટેનેબીલીટી, યુપીએલ લિમીટેડ ), બીઈઆઇએલ કમ્પીનીના સીઇઓ અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી બી.ડી.દલવાડી, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.શ્રીકાંત જે વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ , એન્વાયરોમેન્ટલ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.

યુનાઇટેડ નેશન ગ્લોબલ ઇમ્પેક્ટ નેટવર્ક ઓફ ઇન્ડીયાના એકઝીક્યુટીવ ડીરેક્ટર રત્નેશ અને મ્રુત્યુન્જય ચોબે – ઉપપ્રમુખ (એન્વાયરોમેન્ટ અને સસ્ટેનેબીલીટી, યુપીએલ લિમીટેડ ) દ્વારા વિદ્યાર્થી મિત્રોને એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબીલીટીનુ મહત્વ સમજાવ્યુ હતુ અને આવનાર દિવસોમા આ એરિયામા ઉભી થઇ રહેલી તકો વિશે માહિતગાર કર્યા હતા.

Advertisement

Share

Related posts

પાદરા સી.એચ.સી.ખાતે તબીબી શિક્ષણના અધિક નિયામક એ કોરોના સારવાર વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ.

ProudOfGujarat

રાજ્યના શિક્ષકોને ‘online’ નો હાવ : શિક્ષણ offline ?

ProudOfGujarat

ગુજરાત સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરતો ઐતિહાસિક ચુકાદો : વિક્રમસિંહ માંગરોલા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!