Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગુરુકુલના શાસ્ત્રી જયસ્વરૂપદાસે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અપીલ કરી

Share

ભારત દેશભક્ત નાગરિકોનો દેશ છે. જેના પ્રત્યેક વ્યક્તિના લોહીમાં રાષ્ટ્રભક્તિ વહે છે. ગત વર્ષે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા આયોજિત હર ઘર તિરંગા અભિયાનને દેશવાસીઓએ ખૂબ જ સફળ બનાવી દેશની ગરિમાને જાળવી હતી. આવનારા ગરિમાયુક્ત 25 વર્ષોને યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળ એવું સાર્થક નામ આપ્યું છે.

તેથી આ વર્ષે પણ કેન્દ્ર સરકાર મેરી માટી મેરા દેશ અભિયાનની સાથે આઝાદીનો રાષ્ટ્રીયપર્વ મનાવશે. તે અંતર્ગત આપણે સૌ ભારતવાસીઓ હર ધર તિરંગા અભિયાન ચલાવીએ, વૃક્ષારોપણ અભિયાન ચલાવીએ, કળશયાત્રાનું આયોજન કરીએ, ભૂમિ પૂજન-વંદનનું આયોજન કરીએ, આ દેશની રક્ષા કાજે માટીમાં પોતાના જીવન ન્યોચ્છાવર કરી દેનારા વીરસપૂતોને માન સાથે વંદન કરવાના કાર્યક્રમોનું આયોજન કરવા અંકલેશ્વર ગુરુકુલના શાસ્ત્રી જયસ્વરૂપદાસે સૌ દેશભક્તોને અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના સત્તાધીશો દંડના રૂપિયા વસૂલ કરે છે તેમ સુવિધા પણ પૂરી પાડે : સામાજિક કાર્યકર કમલેશ પરમાર.

ProudOfGujarat

GVK EMRI ૧૦૮ દહેજ એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દહેજ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ઝઘડિયાના ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ફરીથી રેતી ઉલેચાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!