Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શ્રીજીવીલા રેસિડેન્સીમાં ચોર ત્રાટક્યાં.

Share

અંકલેશ્વર શહેરમાં શ્રીજીવીલા રેસિડેન્સી આદિત્ય નગર ભડકોદ્રાના મકાન નં. સી-61 માં રાજેશકુમાર જગતનારાયણ પાઠકના ઘરે તા.08/09/19 ના રોજ તાળું તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેમાં સોનાનો માંગ ચાંદલો, સોનાની ચેન, સોનાની બંગડી વિગેરે જણસો સહિત તિજોરીમાં મૂકેલા રૂ. 45,400 મળી કુલ રૂ.3,66,900/- નું લૂંટ કરી ખળભળાટ મચાવી દીધો છે.
બનાવની વિગત અનુસાર તા.08/09/19 ના રોજ 3 થી 9 કલાક દરમ્યાન લૂંટારાઓ મકાનનું તાળું તોડી ચોરી કરી જતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વળી, પોલીસ માટે પણ આ ધટના પડકારરૂપ બની છે અને ચોરો બેફામ બની સમીસાંજ જેવાં સમયે બિન્દાસ્તપણે ચોરી કરી જાય તે ધટના અંકલેશ્વર પોલીસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ધટના અંગેની ફરિયાદ રાજેશકુમાર જગતનારાયણ પાઠકે કરતાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળવી રાખે છે તે જણાવ્યું

ProudOfGujarat

પાવાગઢ માતાજીના દર્શન કરવા જવાના હોય તો ખાસ જાણી લેજો, લેવાયો મોટો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!