Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

Share

ભરૂચ જીલ્લામાં ધમધમતી કંપનીઓ પર કોઇ જાતનું નિયંત્રણ હોય તેમ જણાતું નથી આડેધડ કંપનીઓ દ્વારા આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે. વાલિયા ચોકડી પાસે આવેલ અંકલેશ્વર GIDC નાં ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી છોડાતા આજુબાજુનાં ગામોનાં ભૂગર્ભ જળસ્તર પર તેની અસર થઈ રહી છે. જેના પગલે ખેડૂતોની ખેતીની ઉપજ પણ ઘટી રહી છે. આમલાખાડીમાં પ્રદુષિત પાણી બેરોકટોક છોડાતા ખેડૂતો અને લોકોમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. કેટલાક ઘરોમાં હજી પણ પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આમલાખાડી નજીક વિવિધ સોસાયટીઓ દ્વારા જયારે પીવાનાં પાણી અંગે જયારે બોર કરવામાં આવે છે ત્યારે પ્રદુષિત અને રંગીન પાણી આવતું હોવાની ફરિયાદ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યુવા મોરચાની મિટિંગ મળી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેની કામગીરી

ProudOfGujarat

અંકલેશ્વર-રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગ્રુપના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન નો આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!