Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.

Share

 

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ શાંતિનગર ખુલ્લા પ્લોટ મા મુકેલ લાકડા ના મોટા જથ્થા મા આજ સવાર ના કોઈક કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

શાંતિનગર-૧ ની સામે ખુલ્લા મેદાન મા અવારનવાર ત્યાં ના ભંગાર ના વેપારીઓ પોતાનો ભંગાર નો માલ ખાલી કરતા આવ્યા છે.અને અવારનવાર ત્યાં આગ ના બનાવ બનતા હોય છે.આજરોજ સવાર ના 5 વાગ્યા ની આસપાસ કોઈક કારણોસર લાકડા ના મોટા જથ્થા અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ભંગાર મા લાવેલ લાકડા નો વિશાલ જથ્થો આગ ની ચપેટ મા આવી જતા જોત જોતા મા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક રહીશો  એ ફાયર વિભાગ ને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને આગ ને કાબુ મા લેવા નું કામ હાથ ધર્યું હતું.સવાર ના સમયે હવા નું જોર વધુ હોવાથી આગ પણ વધુ ફેલાવા પામી હતી જેના લીધે ફાયર ના સ્ટાફ ને આગ ને કાબુ મા લેવા આકરા પ્રયાસો કરવા પડ્યા હતા.ફાયર વિભાગ ને આ આગ કાબુ મા લેવા ૩ કલાક પાણી નો મારો ચલાવો પડ્યો હતો.


Share

Related posts

નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મ્યુકરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે : આરોગ્ય વિભાગ.

ProudOfGujarat

વલસાડમાં પૂનમે 151 ફૂટ લાંબી ચૂંદડી પદયાત્રા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!