Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પાટિયા પાસે ભાજપ દ્વારા સાંસદ મનસુખભાઇ વસાવા ના અંતર્ગત જનસંપર્ક યાત્રાનો આરંભ કરાયો

Share

જે ગડખોલ પાટિયા આવી પહોંચ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના સાંસદ છે મનસુખભાઇ વસાવા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ જનસંપર્ક યાત્રા દ્વારા શહેર અને ગામડાંઓના દરેક લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે. તેનાથી માહિતગાર કરી તેનો વધુમાં વધુ દેશની જનતાને લાભ મળે તેના માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લેવા માટે કઈ રીતે કામ કરવું તેના વિશે માહિતી આપવામાં આવે છે. જેથી કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનું સામાન્યથી સામાન્ય માણસ અને ગરીબ માણસ સુધી આ યોજનાઓ પહોંચ્યા અને તેનો લાભ આ લોકો લઇ શકે તેના માટે જન સંકલ્પ યાત્રા આજરોજ અણખોલ ગામ ખાતે આવી પહોંચી હતી.

જેમા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમેશભાઈ મિસ્ત્રી, મારુતિ અટોદરીયા, સંદીપભાઈ પટેલ, જનકભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહી મનસુખભાઇ વસાવા નુ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર થી વાલિયા ધોરીમાર્ગ પર ટ્રેકટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત … ૨ ઇસમોના મોત અને ૭ વ્યક્તિઓને ઇજા …..

ProudOfGujarat

ભરૂચમાં હવે ગમ્મે ત્યાં કચરો નાંખવા પર ફટકારાશે દંડ, તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

ProudOfGujarat

ઝગડીયા જીઆઇડીસી માં આવેલ પ્રહરિત પીગમેન્ટ ને ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ના નિકાલ માટે ક્લોસર આપતી જીપીસીબી.

ProudOfGujarat
error: Content is protected !!