Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ સુખધામ એપાર્ટમેન્ટ નાં એક મકાનને તસ્કોરોએ નિશાન બનાવ્યું

Share

રોકડા રૂપિયા ૧૧ હજાર અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૪ હજાર નો મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

પરિવારજનો અનાજ કારીયાનું લેવા ગયા તે વેળા તસ્કોરોએ મકાનને નિશાન બનાવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ સુખધામ એપાર્ટમેન્ટ નાં એક મકાન ને નિશાન બનાવી તસ્કોરોએ રોકડા રૂપિયા સહીત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી આવેલ સુખધામ એપાર્ટમેન્ટ માં મકાન નંબર ૧૦૫ માં શોતા મૂળ વિજાપુર તાલુકાના રણાસન ગામના વિઠ્ઠલભાઈ રામાભાઈ પટેલ ફેબ્રિકેશનનાં કામ અર્થે બહાર ગયા હતા. અને તેઓના પરિવાર નજીકમાં અનાજ કારીયાણા ની દુકાન પર ગયા હતા. તે દરમ્યાન ગત રોજ બપોરના સમયે તસ્કોરોએ તેઓના મકાનને નિશાન બનાવી આગળના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, કાનસેટ, તથા વીંટી અને સોના ચાંદીના ઘરેણા ટીમજ રોકડ રૂપિયા ૧૧ હજાર મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૪ હજાર નો મુદ્દામાલ ચોરી કરી. તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વસ્તાન ગામે ત્રણ વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાય.

ProudOfGujarat

ભરૂચ લોકસભાના જંગ માં રંધાઈ નવી રાજકીય ખીચડી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!