Proud of Gujarat
UncategorizedCrime & scandalFeaturedGujaratINDIA

કેમીકલમાં લાગેલ આગ જોકે ગણતરીના સમયમાં ફાયર ફાયટરો એ આગને કાબુમાં લીધી.

Share

અંકલેશ્વર પ્રતિક પાયાઘોડે

રાષ્ટ્રીય ધોરી માર્ગ ખરોડ પાટીયા પાસે એકસેલ હોટલ આવેલ છે. ત્યાં કમ્પાઉંડ પાસે એક નાળુ આવેલ છે જેમા અવાર-નવાર આજુ-બાજુ કંપનીના સતાધિશો પ્રદુષિત કેમિકલ નો નિકાલ કરે છે આવાજ પ્રદુષિત કેમિકલમાં આગ લાગતા નાસ-ભાગ અને અફરાતફરી નું વાતાવરણ ફેલાઈ ગયું હતું જો કે કેમિકલ સળગતુ – સળગતુ નાળાના એક છેડાથી બીજા છેડે પ્રસાર થયું હતું સમયસર ફાયર ફાયટરો આવી જતા આગ પર કાબુ મેળવુ હતું. કુખ્યાત અંસાર માર્કેટ તેમજ આમલાખાડી આવા નાના-મોટા નાળાઓમાં અવાર-નવાર કહેવાતા માથાભારે કંપનીના સંચાલકો ધ્વારા જન આરોગ્યના ભોગે પ્રદુષિત કેમિકલનો નિકાલ કરવામાં આવે છે. તેમ છતા જી.પી.સી.બી અંકલેશ્વર ના ઉગતા તંત્ર ધ્વારા કોઈ સચોટ કામગીરી કરવામાં આવતી ન હોવાની લોકચર્ચા ચાલે છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકા તલાટી મંડળ દ્વારા માંગણી બાબતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

વલસાડમાં દીપડાનો આતંક, બે મહિલાઓ પર હુમલો કર્યો

ProudOfGujarat

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ બટુક ભોજનનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!