Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઘુંટણ-થાપાનો નિદાન કેમ્પ યોજાશે.

Share

અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ ખાતે તા. ૨૩ મી અને તા. ૩૦ મી નવેમ્બરનાં રોજ ઘુંટણ અને થાપાને લગતી તકલીફોનાં નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.

તા. ૨૩ મી અને ૩૦ મી નવેમ્બરનાં રોજ સવારે ૧૦ થી બપોર ૧ વાગ્યા દરમિયા યોજનાર આ કેમ્પમાં સુરતનાં પ્રખ્યાત સર્જન ડૉ. કેવિન ચોકસી દર્દીઓને તપાસી નિદાન કરશે આ કેમ્પમાં ડોક્ટર કન્સલ્ટેશન, યુરિક એસીડ ટેસ્ટ અને હાડકાંની ઘનતા માપવા અંગેની નિ:શુલ્ક સેવા આપવામાં આવશે તેમજ થાપાનાં સાંધાનું પ્રત્યારોપણ સ્નાયુ કાપ્યા વિના ઘુંટણનો સાંધો બદલવાની અને અડધો સાંધો બદલવાની સારવાર પણ ઉપલબ્ધ કરાવાશે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપિલ કરાઈ છે.

Advertisement

Share

Related posts

દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ.

ProudOfGujarat

ઝઘડીયાના કડવાતલાવ તલોદરા ગામે ઘરની આગળ મોટરસાયકલ મુકવાની વાતે બે પરિવારો બાખડયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં કવિ સંમેલન યોજાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!