Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- પાણીની કદર પ્યાસાને હોય,તેવા જ પીવાના પાણી માટેના દ્રશ્યો સારંગપુર ખાતે જોવા મળ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ આજે પણ ભરૂચ સહિત ગુજરાતના અનેક જિલ્લાના તાલુકાઓમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર તો ટેન્કર દ્વારા પાણી સરકાર પહોંચાડી રહી છે.ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર, શાંતિનગર વિસ્તારોમાં પરપ્રાંતીય નોકરિયાત વર્ગ મોટી સંખ્યામાં વસે છે.જ્યાં પાણીની ભારે સમસ્યા ઉભી થઇ છે અને પીવાના પાણી માટે પડાપડી જોવા મળી રહી છે.પાણીની સમસ્યા એટલી હદે વધી છે કે મહિલાઓએ પાણી માટે પોતાના ઘરથી દૂર જવું પડે છે. લીકેજ પાણીની લાઇનો માંથી કલાકો સુધી માથે તપેલું તેમજ અન્ય સામગ્રી વડે પાણી ભરવા માટે ઉભા રહેવું પડે છે.પોતાના પરિવારની પાણીની જરૂરિયાત પુરી કરવા મહિલાઓ રાત દિવસ એક કરી રહી છે પરંતુ જાડી ચામડીના નેતાઓને પ્રજા પ્રત્યે કરેલા વાયદાઓ ક્યારે પણ પરિપૂર્ણ કરવામાં સફળ નીવડ્યા નથી. ગુજરાત સરકાર ઘર-ઘર સુધી પાણી પહોંચાડયું છે તેવી ડંફાસો મારતા હોય છે પરંતુ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે જે રીતના મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે તે દ્રશ્ય જોતા તો એવું જ લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર પ્રજાને પાણી પહોંચાડવા માટે નિષ્ક્રિય સાબિત થઈ રહી છે.

Advertisement


Share

Related posts

વાંકલ : ઉમરપાડા વન વિભાગ કચેરી માં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂંજન કરાયું

ProudOfGujarat

જેસીઆઇ ભરૂચના પૂર્વ પ્રમુખ ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા.

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી થી સોનેરી મહેલ જતા ઢાળ ઉપર અચાનક એક વૃક્ષ ધરાસાઈ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાક વાહનો પણ દબાયા હતા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!