Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- સુરવાડી ગામ ખાતે 17 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે એક 17 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી.અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે રહેતી ૧૭ વર્ષની કિશોરી નેહાકુમારી ધનમન વસાવા નામની કિશોરી અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે મામાના ઘરે રહેવા આવી હતી.જે દરમિયાન આજરોજ વહેલી સવારે તેમના મામાના ઘરે યુવતીએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવતીના મૃતદેહનો અંકલેશ્વર શહેર પોલીસે કબજો મેળવી અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.હાલ સમગ્ર ઘટનાની તપાસ અંકલેશ્વર શહેર પોલીસના જમાદાર દિનેશભાઈ ચલાવી રહ્યા છે.

Advertisement


Share

Related posts

વડોદરાનું હરણી પોલીસ સ્ટેશન બન્યું દેશનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન, મળ્યું સિલ્વર રેટિંગ….

ProudOfGujarat

નેશનલ હાઈવે રોડ પરથી કેમીકલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!