Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર આર.ટી.ઓ અધિકારીઓએ ટ્રક ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ આર.ટી.ઓ કચેરીના અધિકારી એમ.એસ.પંચાલ અને સ્ટાફ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે પર માંડવા નજીક વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન રેતી ભરીને આવતી ટ્રકને રોકવાનો ઈશારો કરતા ટ્રક ચાલકે અધિકારીઓ પર ટ્રક ચઢાવી દેવાની કોશીક કરી ટ્રક હંકારી મૂકી હતી.અધિકારીઓએ ટ્રકનો પીછો કરતા ફરી ચાલકે સરકારી ગાડીને અડફેટે લેવાની કોશિશ કરતા આર.ટી.ઓ અધિકારીઓએ અન્ય ખાનગી કાર આગળ આડી કરી દઈ ટ્રકને ડીટેઇન કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે ટ્રક ચાલક નવગણભાઈ ભરવાડે આર.ટી.ઓ અધિકારીઓએ તેને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના કેસરપુરા ખાતે રૂા.૧૯.૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

નર્મદા જીલ્લાની આમદલા શાળાના વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી.

ProudOfGujarat

આમોદ તાલુકાના રનાડા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!