Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના મકાન નંબર-બી-૧૫મા રહેતા મનોજભાઈ શિવનારાયણ જાંગીડના માતા-પિતા રાજસ્થાનના જયપુર ખાતે પોતાનું મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મુકેલ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મનોજભાઈ શિવનારાયણ જાંગીડ તાત્કાલિક સુરતથી દોડી આવી ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોનાના દાગીના મળી કુલ ૮૭ હજારથી વધુના મુદ્દામાલ અંગેની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : મોંઘવારી વચ્ચે ગરીબી કચરાના ઢગલા તરફ, APMC માર્કેટમાં શાક વીણવા મજબૂર પરિવારો, તસ્વીરો તંત્ર અને સામાજીક કાર્ય કરતી સંસ્થાઓને અર્પણ..!!

ProudOfGujarat

બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહેલી સીરત કપૂરે આ હોટ ફોટોશૂટનો BTS વીડિયો શેર કર્યો

ProudOfGujarat

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!