Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- 13 વર્ષીય બાળકીનું નહેરના પાણીમાં ડૂબી જવાથી મોત…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલી ગામ નજીક આવેલ નહેરમાં એક 13 વર્ષીય બાળકીનું નહેરમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બાળકી દયાદરા ગામથી અંકલેશ્વર પાનોલી લગ્નમાં આવી હતી પરંતુ પાનોલી ગામમાં સૌચાલય નહીં હોવાના કારણસર બાળકી નહેરમાં ડબ્બા વડે પાણી ભરવા ગઈ હતી પરંતુ અચાનક પગ લપસી જતાં બાળકી એકાએક નહેરના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી અને સહેલી દ્વારા બૂમો પાડતા બાળકીએ કોઈ જવાબ ન આપતા સહેલીએ તેમના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીની શોધખોળ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા.બે દિવસ પછી બાળકીની ડેડબોડી એકાએક નહેરમાં ઉપર આવી જતા અંકલેશ્વર તાલુકા પોલીસે ડેડબોડી નો કબજો મેળવી અંકલેશ્વરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.સમજમાં બનતી આવી ઘટનાઓ તત્રં ઉપર પણ સવાલ ઉઠાવી રહી છે કે જો 13 વર્ષની બાળકીએ પણ ખુલ્લામાં સૌચાલય માટે જવું પડતું હોય તો ક્યાં ગયા દેશના વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલ ગામે ગામના સૌચાલય?

Advertisement


Share

Related posts

ડાંગ સરકારી યોજના કૌભાંડ માં આરોપી મહિલા ભાવેશ્રી દાવડા નો પોલીસ કસ્ટડીમાં માં આત્મહત્યા નો પ્રયાસ

ProudOfGujarat

ઈડરના સાપાવાડામાં બે મંદિર સહિત ત્રણ સ્થળે ચોરોનો હાથફેરો.

ProudOfGujarat

ભરૂચના નિલકંઠ ઉપવન ખાતે મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!