Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- 13 વર્ષીય બાળકીનું નહેરના પાણીમાં ડૂબી જવાથી મોત…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલી ગામ નજીક આવેલ નહેરમાં એક 13 વર્ષીય બાળકીનું નહેરમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બાળકી દયાદરા ગામથી અંકલેશ્વર પાનોલી લગ્નમાં આવી હતી પરંતુ પાનોલી ગામમાં સૌચાલય નહીં હોવાના કારણસર બાળકી નહેરમાં ડબ્બા વડે પાણી ભરવા ગઈ હતી પરંતુ અચાનક પગ લપસી જતાં બાળકી એકાએક નહેરના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી અને સહેલી દ્વારા બૂમો પાડતા બાળકીએ કોઈ જવાબ ન આપતા સહેલીએ તેમના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીની શોધખોળ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા.બે દિવસ પછી બાળકીની ડેડબોડી એકાએક નહેરમાં ઉપર આવી જતા અંકલેશ્વર તાલુકા પોલીસે ડેડબોડી નો કબજો મેળવી અંકલેશ્વરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.સમજમાં બનતી આવી ઘટનાઓ તત્રં ઉપર પણ સવાલ ઉઠાવી રહી છે કે જો 13 વર્ષની બાળકીએ પણ ખુલ્લામાં સૌચાલય માટે જવું પડતું હોય તો ક્યાં ગયા દેશના વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલ ગામે ગામના સૌચાલય?

Advertisement


Share

Related posts

ભરૂચ ખાતે પ્રાકૃત્તિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપતી નેશનલ કોન્કલેવ યોજાઇ.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : 92 જેટલાં વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં કુલ ૪૭ પોઝિટિવ કેસ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!