Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- વિકાસના કામ શરૂ થતા પહેલા જ હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા….

Share

વિનોદભાઇ પટેલ

હાલ ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઓએનજીસી થી લઈને ગુમાનદેવ સુધીના તમામ વૃક્ષો વિકાસના નામ પર કાપી નાખવામાં આવ્યા છે પરંતુ હજુ પણ એ રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી.એકતરફ સરકાર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ પોતેજ વિકાસના નામ પર સરકાર હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી રહી છે. રોડ રસ્તાને મજબુત કરવું એ સરકારનો ખૂબ સારો વિચાર છે પરંતુ સાથે-સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન પહોંચાડી પર્યાવરણનો સંપૂર્ણ રીતે સરકાર નાશ કરી રહી છે.એક વૃક્ષ ને મોટું કરવા માટે કેટલા વર્ષો વીતી જાય છે અને વિકાસના નામ પર એક જ દિવસમાં એ વૃક્ષને કાપી નાખવામાં આવે છે.જ્યારે કેટલાક રાજ્યોમાં વૃક્ષોને કાપ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડી શકે તેવા મશીનો ઉપલબ્ધ છે.ત્યારે ગુજરાત સરકાર આવા મશીનોનો ક્યારે ઉપયોગ કરશે અને વિકાસની સાથે-સાથે પર્યાવરણની પણ ક્યારે સુરક્ષા કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

Advertisement


Share

Related posts

ઝગડિયા કંપનીમાં આવતુ HCL ટેન્કર ઢોળાતાં નાસભાગ…

ProudOfGujarat

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

ProudOfGujarat

પંચમહાલમા વરસાદે વિરામ લેતા ખેડુતોએ ખેતરમા પાકોની શરુ કરી વાવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!