Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સમાંથી સામાન ભરેલ થેલાની ચોરી કરી ત્રણ તસ્કરો ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિ અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સ ધરાવે છે.જેઓ હોલસેલનો વેપાર કરે છે.ગતરોજ બપોરે ૪: ૨૦ કલાકે પોતાની શોપની બહાર સમાન મુકેલ વિમલના થેલામાં રહેલ સામાનની ચોરી કરી કોઈ તસ્કરો ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે વેપારીએ રૂપિયા ૨૫ હજાર ૫૦૦ની ચોરીની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દુકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો ચોરી કરતા કેદ થયા છે.પોલીસે ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10-12 ની પરીક્ષા ફીમાં 10% નો કર્યો વધારો

ProudOfGujarat

જૂનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી, 4 લોકોના દટાયાની આશંકા

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ રોડ પર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત, બે ને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!