Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડના જવાનોએ ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢી જીવ બચાવ્યો…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલી પાસે પંછીરાજ સિનેમા પાસે એક ગાય ઊંડા ખાડામાં પડી જવા પામી હતી. ત્યારબાદ ત્યાંના સ્થાનિકોએ ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવાનો ખુબ પ્રયાસ કર્યો હતો પરંતુ છેવટે ઊંડા ખાડામાં પડેલી ગાય બહાર નહીં નીકળતાં સ્થાનિકોએ અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમ દ્વારા ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા. બે થી ત્રણ કલાક સુધી રેસ્ક્યુ કરી છેવટે ખાડામાં પડેલી ગાયને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં ખુબ મોટી સંખ્યામાં ગાયો બિનવારસી રખડતી હોય છે જેની પર સરકાર ધ્યાન દોરે તેવી પણ માગણી કરી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપલા આયુર્વેદિક હોસ્પિટલમાં મંજુર થયેલ તબીબો,અન્ય મહેકમની જગ્યાઓ પુરતી સંખ્યામાં ભરતી કરવા પી.ડી.વસાવાની રજુઆત.

ProudOfGujarat

પત્રકાર એકતા સંગઠન જંબુસર દ્વારા ધારાસભ્યને રજૂઆત.

ProudOfGujarat

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!