Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની ટકકરે ૪૦ વર્ષીય ઇસમનું મોત.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર રાજ્પીપળા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓના પગલે એક ૪૦ વર્ષીય ઇસમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.બનાવ અંગે જી.આઇ.ડી.સી પોલીસે અકસ્માત થી થયેલ મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર તા ૨૦મી ના રોજ ૧૧ કલાકે વિજયસિંગ બંસરોપનસિંહ રાજ્પુત ઉ.વર્ષ.૪૦ રહે, મીરા નગર, પ્લોટ નં. ૩૩૯,સારંગપુર, અંકલેશ્વરના નુર મસ્જીદ, બાપુનગર રોડ થી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન પુરઝડપે આવતા કોઇ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતાં ડાબા કાને અને ડાબા પગે નળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં વિજયસિંગનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી.પોલીસને થતા તેમણે રિતેશસિંગ નંદકિશોર્સિંગ રાજપૂતની ફરિયાદ નોંધી.અકસ્માતમાં થયેલ મોતનો ગુનો દાખલ કરી મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી મોત નીપજાવી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધ આરંભી છે.


Share

Related posts

પાટણમાં દલિત અગ્રણીએ આત્મવિલોપન કર્યું !!

ProudOfGujarat

વડોદરા : શિનોર તાલુકાના સાધલી ગામમાં લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું…

ProudOfGujarat

ભરૂચમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ : રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!