Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર, ઝગડીયા અને પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટી કંપનીના કોન્ટ્રક્ટના કર્મચારીઓ ગત શનિવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા. જેના ત્રીજા દિવસના અંતે જીપીસીબીની વડી કચેરીના અધિકારીઓ, એ.આઈ.એ અને પી.આઈ.એના કમિટી સભ્યો તેમજ એનસીટી અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં વાટાઘાટો બાદ મેનેજમેન્ટે કામદારોના પ્રશ્નોનું ચૂંટણી બાદ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી જેના પગલે કામદારોએ ફરી તેમની કામગીરીની શરૂઆત કરી હતી. જો કે ચૂંટણી બાદ તેમની માંગણીઓ નહિ સંતોષાય તો કર્મચાઓએ ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપળા : નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ગાંધીનગર ખાતેથી કરાયું ઇ-લોકાર્પણ…

ProudOfGujarat

બોટાદ ઉમા પાર્ક-૨ દોઢ મહિનાથી પાણી નહિ અપાતા રહિશોમા રોશ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં રાજપીપળા રોડ પર આઝાદ નગર ખાતેનાં મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!