Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઇશરત કેસમાં વણજારા-અમીન સામે કાર્યવાહી કરવા CBIએ મંજૂરી માગી

Share

 

સૌજન્ય/અમદાવાદ: ઇશરત જહાં કથિત એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી.જી વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા સીબીઆઇએ સરકારની મંજૂરી માંગી છે. 1 મહિનાની આ કાર્યવાહી માટે સીબીઆઇ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કરાયો છે. જેની સુનાવણી 22 નવેમ્બરના રોજ રાખવાનો કોર્ટે નિર્દેશ કર્યો છે. સોમવારે સીબીઆઇ કોર્ટમાં ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે આ કેસમાં સંડોવાયેલા નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી.જી.વણજારા અને એન.કે.અમીન હાજર રહ્યા હતાં. સીબીઆઇ તરફે 4 પાનાની લેખિતમાં અરજી દ્વારા રજૂઆત કરેલી કે, વણજારા અને અમીન રાજ્ય સેવક હતા. અને તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા માટે સીઆરપીસીની કલમ 197 મુજબ રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી છે. આથી 1 મહિનાનો સમય આપવામાં આવે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ProudOfGujarat

જંબુસરનાં મગણાદ ગામે શ્વાનનો ભય : હડકાયેલા શ્વાને અનેક લોકોને કરડતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

મોતનુ પાણી : વડોદરાના નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણીથી એક મહિલાનુ મોત : અન્ય અસરગ્રસ્ત : વોર્ડ નં.8 ની કચેરી પર રહીશોનો હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!