Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદમાં લવાયો, કોર્ટમાં કરાયો હાજર, થઈ શકે છે વધુ ખુલાસો

Share

મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટ થકી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો અને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે હવે મોરબીના વેપારી સાથે ઠગાઈના કેસમાં તેની ફરીથી ધરપકડ કરી અમદાવાદમાં લવાયો હતો.

અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટમાં હાજર કરીને પોલીસે તેની કસ્ટડી દર્શાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ ફરીથી હાથ ધરવામાં આવશે ત્યારે વધુ કેટલાક ખુલાસાઓ ઠગને લઈને થઈ શકે છે.

Advertisement

એક બાદ એક ચારથી વધુ અમદાવાદમાં નોંધાઈ હતી. મોરબીના વેપારીઓ સોલા પોલીસ સ્ટેશનમાં છેલ્લી ફરીયાદ નોંધાઈ હતી. પીએમઓના ઓફિસર તરીકે ઓળખ આપીને મકાન પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પીએમઓના ઓફિસર તરીકેની ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા છે. ખોટા ઓળખકાર્ડ બનાવીને ફરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના એક સપ્તાહના રીમાન્ડની માગ કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસમાં વધુ ખુલાસાઓ થશે. જો કે, 4 કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સોલામાં નોંધાયેલી ફરીયાદના આધારે તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાશે.

આ પહેલા પણ તેને અમદાવાદમાં લાવીને રીમાન્ડ લઈને વધુ પૂછપરછ કરાઈ હતી. જો કે, ફરીથી કેસ નોંધાતા ફરીથી તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે.


Share

Related posts

ભરૂચના ચાવજ ગામે તા. 22 માર્ચથી શરૂ થતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારીઓને આખરી અપાયો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક બે બાઇકો અથડાતા એક ઇસમનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : સ્વર્ગીય અહમદભાઈ પટેલ સાહેબનાં સ્મરણ અર્થે સ્ટેચ્યુ બનાવવા અને અન્ય કરાયેલી જાહેરાતને પૂર્ણ કરવા સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા ઉદ્યોગ મંડળને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!