Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડતાં કાચ ફરતેની જગ્યા કોર્ડન કરાઈ

Share

સાબરમતી નદી ઉપર રુપિયા ૮૦ કરોડથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર ચાર સ્થળે લગાવવામા આવેલા કાચ પૈકી એક સ્થળે લગાવેલા કાચમા તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. ૨૭ ઓગસ્ટ-૨૦૨૨ ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. તિરાડ પડેલા કાચના આસપાસના વિસ્તારને બેરીકેડથી કોર્ડન કરી લેવાયો છે. આગામી ચારથી પાંચ દિવસમાં તૂટેલા કાચના સ્થાને નવો કાચ લગાવવામા આવશે.

સાત મહિના અગાઉ શહેરમાં આઈકોનિક એવા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ એ સમયે બ્રિજ નિર્માણને લઈ મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો તરફથી અનેક પ્રકારના દાવા કરવામા આવ્યા હતા. બુધવારે બપોરના સમયે અટલફૂટ ઓવરબ્રિજ ઉપર લગાવવામા આવેલા કાચમા તિરાડ પડી હોવાની જાણ થતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કાચમાં તિરાડ પડવાની ઘટના અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલે કહયુ, તંત્રને જાણ થતા જ જે સ્થળે કાચમા તિરાડ પડી છે એ સ્થળની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. ઉપરાંત મુલાકાતીઓ આ સ્થળની આસપાસ જાય નહી એ માટે સિકયોરીટી ગાર્ડ પણ ફરજ ઉપર મુકવામા આવ્યા હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જુના ધંતુરીયાની સીમમાંથી બે નંબરના ડીઝલનો જથ્થો મળી આવ્યો …

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના ધાંધલપુર ગામે આમ આદમી પાર્ટીની ખાસ મિંટીગ યોજાઈ

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વન આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે NFSA 2536 જેટલાં રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!