Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો

Share

અમદાદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો શુભારંગ ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યો છે પરંતુ હવે કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરીયા કાર્નિવલ હવે 7 વાગ્યાની જગ્યાએ એક કલાક વહેલા એટલે કે, 6 વાગે શરુ થશે. કાંકરીયા કાર્નિવલ એક કલાક વહેલો પૂર્ણ કરવામાં આવશે. કાંકરીયા કાર્નિવલ ગઈકાલે 10 વાગ્યા સુધીલ રાત્રે ચાલ્યો હતો ત્યારે હવેથી કાર્નિવલ 9 વાગ્યે બંધ થશે. સમય એક કલાક ઘટાડવામાં આવ્યો છે.

કાંકરીયા કાર્નિવલચ ગત વખતે યોજાયો નહોતો જોકે, કોરોનાને જોતા આગળના વર્ષે પણ કાર્નિવલ થઈ શક્યો નથી ત્યારે આ વખતે રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં કોરોનાનો ભય પણ છે ત્યારે નવા વેરીયન્ટના ભય વચ્ચે સાવચેતીને ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

કાંકરીયા કાર્નિવલ ગઈકાલથી લઈને 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ સાથે કોરોના ગાઈડલાઈન્સનું ખાસ પાલન કરવામાં આવશે. લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

કાર્નિવલ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 જેટલા સ્વયંસેવકોને રાખવામાં આવ્યા છે. જે લોકોને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અનુરોધ કરશે. કાંકરિયા કાર્નિવલમાં કુલ ત્રણ સ્થળોએ ગેટ નંબર 1, 2 અને 3 પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. રાજભા ગઢવી, વિજય સુમવાલા, સાઈરામ દવે, ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના કલાકારો પરફોર્મ કરશે અને લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

ભરૂચમાં મોડાસાની યુવતીનાં ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ ના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી માં પોલીસ દ્વારા ઢોર માર મરાયો નો પરિવાર નો આક્ષેપ, બુટલેગર સારવાર હેઠળ

ProudOfGujarat

કિસાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુસન કંન્ટ્રોલ એસોસીએસન ના કાર્યાલયનુ ઉદ્ઘાટન થયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!