Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : EWS આવાસનો હપ્તો ન ભરનાર 5 હજાર લાભાર્થીને નોટિસ અપાશે.

Share

અમદાવાદ મ્યુનિ.એ બનાવેલા ઈડબલ્યુએસના મકાનોમાં 5 હજાર લાભાર્થીઓએ બે કે ત્રણ હપ્તા ભર્યા પછી એકેય હપ્તો ભર્યો નથી. આવા લાભાર્થીઓ સામે મ્યુનિ.એ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. હપ્તો નહીં ભરનારા 5 લાભાર્થીને નોટિસ અપાશે. નોટિસ આપ્યા પછી પણ જો તેઓ હપ્તાની ૨કમ નહીં ભરે તો ફાળવણી રદ કરી તેમના મકાન બીજાને ફાળવી દેવાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયું છે. ઈડબલ્યુએસના લાભાર્થીઓ દ્વારા ભરવામાં આવતાં હપ્તા બાબતે સ્ટેન્ડિંગમાં ચર્ચા વખતે એ બાબત ધ્યાનમાં આવી હતી કે, 5 હજાર લાભાર્થીઓ એવા છે જેમણે મ્યુનિ.એ ફાળવેલા મકાનોના એક કે બે હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે. જો આ લાભાર્થીઓને ઈડબલ્યુએસના મકાનોની આવશ્યકતા ન હોય તો આવા મકાનો અન્ય લાભાર્થીને મળી શકે તે માટે ફાળવણી રદ કરી નવેસરથી ફાળવણી કરી શકાય તે બાબતે ચર્ચા થઇ હતી. જે બાદ આગામી દિવસોમાં 5 હજારથી વધારે લાભાર્થીઓને મ્યુનિ. નોટિસ પાઠવશે અને તેમની ફાળવણી રદ કેમ ન કરવી તેનો ખુલાશે પૂછાશે. તે ઉપરાંત તેમના દ્વારા ભરવામાં આવેલી રકમ પણ તેમને પરત કરી દેવામાં આવશે. જ્યારે બાદમાં આ મકાનો અન્યને ફાળવવામાં આવશે.

Advertisement

Share

Related posts

અરવલ્લી : મોડાસાની પારસ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ 1.50 લાખની ચોરીને અંજામ આપ્યો, ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક

ProudOfGujarat

નડિયાદમાં નવિન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં નગરયાત્રા નીકળી

ProudOfGujarat

સુરત : બહેન સાથે પ્રેમ પ્રકરણની આશંકાને લઈ ભાઈએ યુવકની હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!