Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જીલ્લાના માંડલ ઘટકની ૯૭ આંગણવાડીમા નવદુર્ગા પૂજન કાર્યક્રમ યોજાયો.

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

નવદુર્ગા પૂજન બાદ બાળાઓને ગીફ્ટ આપી સુખડી વિતરણ કરવામાં આવ્યું.અમદાવાદ જીલ્લાના માંડલ ઘટક માં માંડલ ની ૧ થી ૯૭ આંગણવાડી માં નવદુર્ગા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. માંડલ માં ઉપસ્થિત શક્તિ શરાફી સહકારી મંડળી દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચેરમેન મનુભાઈ , M.D રાજુભાઈ શાહ , મહેશભાઈ ચાવડા , નીરૂબેન ચાવડા , સી.ડી.પી.ઓ. મીતા જાની , મુખ્ય સેવિકા આયેશાબેન ઉપસ્થિત રહ્યા અને બાળાઓ ને ગીફ્ટ આપી સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેશભાઈ ચાવડા એ ઉદબોધન કરી સરકારના નવતર અભિગમ પાછળ નો હેતુ કુપોષણ દુર અને બાળકીઓ માં પોષણ વધારવું તેમજ દીકરો દીકરી એક સમાન છે જે બાબતે માર્ગદર્શન પૂરું પાડેલ હતુ. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યા માં બાળાઓ સાથે આંગણવાડી વર્કર બહેનો પણ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલના પાનમનદીમાં ચાલતા પટમા ગેરકાયદેસર રેતખનન પર ખાણખનીજના દરોડા

ProudOfGujarat

વિસાવદર નગરપાલિકાની સામાન્ય બજેટ વર્ષ 2020-2021 નું વિકાસલક્ષી બજેટ મંજૂર.

ProudOfGujarat

વડોદરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેયર એ વેપારીઓ સાથે કર્યો પરામર્શ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!