Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ભરણ ગામે દીપડી પાંજરે પુરાઇ ત્રણ દીપડા હજુ ફરી રહ્યા છે.

Share

અંકલેશ્વર તાલુકાનાં છેવાડાનાં ગામ ભરણ ખાતે વૃદ્ધા પર હુમલો કરનાર દીપડાઓની પૈકી એક દીપડી પાંજરે પુરાઇ છે જ્યારે હજુ બેથી ત્રણ દીપડાઓ ફરી રહ્યા હોવાથી ગામ લોકો ફફડી રહ્યા છે. અંકલેશ્વર અને સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં ગ્રામીણ જંગલ વિસ્તારોમાં દીપડાઓ ફરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ એક બાળકી પરના હુમલા બાદ ભરણ ગામની વૃદ્ધા પર દીપડાનાં હુમલાના કારણે ગામલોકો ફફડી ઉઠયા હતા. આ મામલે વન વિભાગને જાણ કરી આથી સુરત અને ભરૂચ જિલ્લામાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ભરણ ગામ સહીત આજુબાજુના જંગલ વિસ્તારો શેરડીના ખેતરોમાં તપાસ શરૂ કરતા દીપડા હોવાના ફુટ પ્રિન્ટ મળ્યા હતા અને તેને પગલે વન વિભાગની તપાસમાં ભરણ અને ધિનોદ ગામે માનવી પર હુમલાની ઘટના બહાર આવી હતી ધિનોદ ગામે મરઘા કેન્દ્ર નજીક પણ દીપડા લટાર મારતાં હોવાનું બહાર આવતા જ વનવિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાંથી ધિનોદ ગામની સીમમાંથી બે વર્ષીય દીપડી પુરાઇ હતી. જ્યારે હજુ બે થી ત્રણ દીપડા ફરી રહ્યા હોવાથી વન વિભાગે તેમને પણ ઝડપી લેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : રીગલ માર્કેટમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા ગુલીઉમરમાં રંગોલી સ્પર્ધા યોજાય.

ProudOfGujarat

‘સાત’ વોલ્ટેર વીરૈયાની પ્રેસ મીટમાં મેગાસ્ટાર ચિરંજીવીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે કર્યું ફ્લર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!